વડનગર ડેપોમાં થી કોરોના સમયે બંધ થયેલ વાગડી થી વડનગર ઈસનપુર નિગમ સોસાયટી બસ બંધ કરવામાં આવેલ છે પુનઃ શરૂ કરવા આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટકુમાર પટેલે ને રજુઆત કરવામા આવેલ એમની રજુઆત ને ધ્યાને લઇ એસ.ટી.વિભાગીય નિયામક શ્રી મહેસાણા અને વડનગર ડેપો મેનેજર શ્રી અને સ્ટાફ દ્વારા આજે આ બસ ને પ્રજા ની સુખાકારી ને ધ્યાને રાખી ફરી શરૂ કરવામાં આવેલ છે
આ બસ ને આજ રોજ વડનગર ના સામાજીક કાર્યકર્તા અને શુભ ચિતક શ્રી સોમાભાઈ મોદી પ્રમુખ શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ, વિસામો વૃધ્ધાશ્રમ વડનગર ના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ.
આ કાર્યક્રમમાં વડનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી, જીલ્લા કોષાધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ,વડનગર શહેર મહામંત્રી જીગરભાઈ પટેલ, નગરપાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ શ્રી કાનાજી ઠાકોર, પૂર્વ બાંધકામ ચેરમેન શ્રી ઘેમરજી ઠાકોર,સદસ્ય શ્રી ગીરીશભાઈ પટેલ,કિસાન મોરચાના પ્રમુખ શ્રી જશુભાઇ પટેલ,નગરજનો અને એસ.ટી.ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે બદલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..