મારો અવાજ-મહેસાણા,
મહેસાણાનો બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી સમારકામ માટે આગામી 50 દિવસ સુધી સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે
મહેસાણાનો આંબેડકર બ્રીજ આગામી 50 દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે, આ બ્રિજ 2008માં નિર્માણ પામ્યો હતો. જો કે હાલ તેની બિસ્માર હાલત છે. 250 મીટરનો આ પુલની હાલત જર્જરિત થઇ ગઇ છે. કોઇ મોટી દુર્ઘટના ન બને માટે બ્રિજ બંધ કરવા જાહેરનામું બહાર પાડવા માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા કલેક્ટરને દરખાસ્ત કરાઈ છે. મહેસાણા-રામોસણા ચાર રસ્તાથી માનવ આશ્રમ લિંક રોડને જોડતો આ બ્રિજ 2008માં તૈયાર થયો હતો. અંદાજિત 10 લાખના ખર્ચે ફરી આ બ્રિજનું સમાકામ થશે.