મારો અવાજ,
સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઈસ્કૂલ(જય ભારત)મા ભારત માતાનો સ્વતંત્રતા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભારત માતાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના, સ્વાગત પ્રવચન ,મહેમાનોનું પુષ્પ ગુચ્છથી અને પુસ્તકથી સન્માન ત્યારબાદ ભારતમાતાના ફોટાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી.
આર્મીના જવાનો અને હારીજ તાલુકા પંચાયતના પ્રમુખ વનરાજસિંહ ઠાકોરનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું..
શાળાના શિક્ષક શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પાંચ આધારસ્તંભો પર ભાર મૂક્યો હતો આઝાદીની લડાઈ, આઇડિયાસ 75 (75 વર્ષે વિચારો), એચિવમેન્ટ્સ 75 (75 વર્ષે ઉપલબ્ધિઓ),એક્શન્સ 75 (75 વર્ષે કાર્યો) અને રિઝોલ્વ્સ 75 (75 વર્ષે સંકલ્પ), જે સ્વપ્નો પૂર્ણ કરવા અને ફરજ અદા કરવા અગ્રેસર થવા માટે સૂચન કર્યું હતું.
જયારે ભાજપના પાટણ જિલ્લા પ્રમુખ શ્રી ડી.વી ઠાકોર સાહેબે ભારપૂર્વક જણાવ્યુ કે, આઝાદી અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઊર્જાનું અમૃત. એનો અર્થ છે – આઝાદીની લડતના યોદ્ધાઓની પ્રેરણાનું અમૃત; નવા વિચારો અને કટિબદ્ધતાઓનું અમૃત તથા આત્મનિર્ભરતાનું અમૃત.
અને વનરાજસિંહ એ વીર શહીદોને યાદ કર્યા હતા..
આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.વી ઠાકોર,હારીજ તાલુકા પંચાયતના પ્રમુખ વનરાજસિંહ,શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ,અશ્વિનભાઈ કડિયા,મેહબૂબભાઇ સિપાઈ,સાહિલકુમાર વિરતીયા,મહાદેવભાઈ યોગી,માયાબેન દેસાઈ,પ્રવિણભાઈ નાયી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઈ ઠાકોર અને આભારવિધિ વિપુલભાઈ પટેલ કરી હતી..