મારો અવાજ ન્યૂઝ :નેરવર્ક
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 4 થી 12 ઓગસ્ટ 8 મહાનગર મા હર ઘર તિરંગા યાત્રા નીકળશે. આવતી કાલે સુરત ખાતે સીએમ હર ઘર તિરંગા યાત્રા ની શરૂઆત કરાવશે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર ઉજવણી કરવામાં આવશે. 26 સ્થળો પર કાર્યક્રમ થશે. વિશ્વ આદિવાસી દિવસ પર ઝાલોદ ખાતે સીએમ હાજર રહેશે. 1300 કરોડના લોકાર્પણ ખાત મુહર્ત કરવામાં આવશે. લંપી વાયરસ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. પશુઓ હજારોની સંખ્યામાં સાજા થયા છે અન્ય પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ચિંતા કરવામા આવી રહી છે.
કાર્ડ ધારકો માટે એક મહ્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પહેલી વખત સિંગતેલ સાતમ આઠમ અને દિવાળી પર આપવામાં આવશે. બે નવી કોલેજો ને કેન્દ્રીય મંત્રાલય ને મજૂરી મળી છે. ગોધરા અને પોરબંધર મા જીમર્સ કોલેજો શરૂ થઈ જશે. ગરબા પર જીએસટી પર લગાવવાના મામલે નિવેદન આપ્યું હતું કે, વિરોધ પક્ષ જનતાને ભડકાવવાનું કામ કરે છે. 2017મા થયેલ આ નિર્ણય છે. અલગ અલગ કલ્ચરલ ઇવેન્ટ માટે જીએસટી લગાવવા માટેનું નક્કી થયું હતું. સર્વસમતી સાથે આ ઠરાવ થયો છે.