મારો અવાજ,
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીની કેજરીવાલ સરકારને પાડવાનું કાવતરું રચી રહી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ઘણા ધારાસભ્યો સંપર્કમાં ન હોવાની વાત સામે આવી રહી છે. પાર્ટીના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે સંપર્ક થઈ રહ્યો નથી.
બીજી તરફ રાજકીય ઘટનાક્રમને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એક રિપોર્ટર મુજબ કેજરીવાલના આવાસ પર થનારી બેઠકમાં અત્યાર સુધી 36 ધારાસભ્ય પહોંચી ગયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશી માર્લેનાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીને સરકારને પાડવાનો પ્રયત્ન કરી રહી છે. અમારા ધારાસભ્યોને પૈસાઓની ઓફર આપવામાં આવી રહી છે અને તેમણે ધમકી આપવામાં આવી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીને પણ ધમકી આપવામાં આવી છે. આ પહેલો પ્રયત્ન નથી.
આ અગાઉ પણ ભાજપ ઓપરેશન લોટસનો પ્રયત્ન કરી ચૂકી છે, પરંતુ તેઓ હંમેશાં નિષ્ફળ સાબિત થઇ છે. અરવિંદ કેજરીવાલના આવાસ પર થઈ રહેલી બેઠકમાં પહોંચેલા તિમારપુરના ધારાસભ્ય દીલિપ પાંડેએ દાવો કર્યો છે કે 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થયો છે. તેમણે કહ્યું કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ બાબતે તપાસ કરે કે 40 ધારાસભ્યોને તોડવા માટે 20 કરોડના હિસાબે 800 કરોડ ક્યાંથી આવ્યા? આ અગાઉ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યોએ ભાજપ પર 20-20 કરોડ રૂપિયાની ઓફર કરવા અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.