મારો અવાજ,
આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP દ્વારા ગુજરાત રાજ્યોમાં ચૂંટણી લડનારા તેમના ઉમેદવારોને લઈને ખાસ એક બેઠક તેમની હેડ ઓફીસ ચંદેરીયા ખાતે રાખવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુ વસાવા, BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય ડેડીયાપાડા મહેશ વસાવા સહિત ગુજરાત રાજ્યની વિવિધ વિધાનસભા સીટોના વિસ્તારમાં કામ કરતા BTP અને બિટીએસના કાર્યકરો હોદેદારોની એક મહત્વની બેઠક મળી હતી.
આ બેઠકમાં ચૂંટણી અંગે રણનીતિ અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. ફાયનલ નામ BTPની પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે.ગુજરાત રાજ્ય ભરના BTPના આગેવાનો અને કાર્યકરોને છોટુભાઈ અને મહેશભાઈએ સંબોધીને કામે લાગીજવાની હાકલ કરી હતી. જ્યારે છોટુભાઈ વસાવાએ તેમના મૂળ અંદાજમાં આવી દેશની અન્ય રાજકીય પાર્ટીને લલકારીને કહ્યું હતું કે, BTP નાની પાર્ટી છે એવો ખાંપો રાખવા વાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં BTP ભાગ લેશે અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે.
આ ચૂંટણી સંદર્ભે જ બેઠક હતી અને આદિવાસીઓ સત્તામાં આવે નહીંની મગજમાં વાત હોય તો કાઢી નાખજો. આદિવાસીઓ સત્તામાં પણ આવશે અને કુદરતી સંપત્તિ પણ બચાવશે. જે ચોર સરકારો અને પાર્ટીઓ છે જે આ કુદરતી ખનીજ સંપત્તિની ચોરી કરે છે તેમને પણ ચેતીજવા જેવું છે કરણ કે, આદિવાસી સમાજને જે પાર્ટીઓ લૂંટી રહી છે તેમને આદિવાસી સમાજ છોડાશે નહીં. કહી ગુજરાત રાજ્યમાં બહુમતી સાથે જીતનો દાવો પણ કર્યો હતો