કચ્છ જિલ્લાના વૃદ્ધાને હાયપર વોલમીક શોક થતા (હૃદય ને શરીર મા પૂરતું લોહી પંપ કરવામાં અશમર્થ ) ભુજ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાની જરૂરિયાત ઉભી થઇ હતી.
રાજ્ય સરકાર ના સહયોગ થી 8 મહિના પહેલા શરૂ થયેલી એર એમ્બ્યુલન્સની સર્વિસમાં એરલિફટ કરાયા.
ગુજરાત રાજ્ય ના છેવાડાની કચ્છ -ભુજ ખાનગી હોસ્પિટલ સાથે ગ્રામ્ય વિસ્તાર મા ગંભીર દર્દી ને વધુ સારવાર માટે શહેરો ની મોટી હોસ્પિટલલો મા ઝડપ થી ખસેડી સકાય અને તેમને સારા મા સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર ના સહયોગ થી 8 મહિના પેલા એર એમ્બ્યુલન્સ ની સર્વિસ શરૂ કરવામાં આવી છે, ત્યારે કચ્છ -ભુજ ના એક વૃદ્ધા ને હાયપર વોલમીક શોક (હૃદય ને શરીર મા પૂરતું લોહી પંપ કરવામાં અશમર્થ ) અને તેની સારવાર કચ્છ -ભુજ મા પડકાર જનક હતી એવા સમયે 108 ની એર એમ્બ્યુલન્સ મારફતે તેમને અમદાવાદ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગુજરાત નો કચ્છ જિલ્લા નો આ પેહલો કેસ છે.
આ અંગે 108 ના પોગ્રામ મેનેજર મનવીર ડાંગર સાહેબ અને જિલ્લા અધિકારી વિશ્રુત જોષી સાહેબ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે શહેર ની ખાનગી હોસ્પિટલ મા 85 વર્ષઈ શાંતિલાલભાઇ ગાલા સારવાર હેઠળ હતા, દર્દી ને હૃદય ને શરીર મા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ ના કારણે ભાન ભૂલી ગયા હતા, જેના લીધે દર્દી બેભાન હાલત મા હતા, અને બ્લડ પ્રેસર વધારે -ઓક્સિજન લેવલ ઓછું હોવાથી તેમને વધુ સારવાર અર્થે 108 મા વેન્ટિલેટર, મોનીટરીંગ અને ઓક્સિજન સાથે તત્કાલ અમદાવાદ ની ખાનગી હોસ્પિટલ મા ખસેડવાની જરૂરિયાત ઉભી થઇ હતી. દર્દી નો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ ખસેડવા નુ નક્કી થયું હતું.
108 ને આ અંગે માહિતી મળતા, એર એમ્બ્યુલન્સ માટેની બધી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી, ભુજ 108 ને જાણ કરવામાં આવી હતી. આજે સવારે દર્દી ને લેવા માટે અમદાવાદ થી એર એમ્બ્યુલન્સ ભુજ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. આ કેસ માં હોસ્પિટલ થી એરપોર્ટ સુધી 108 એમ્બ્યુલન્સ માં દર્દી ને પહોંચાડવામાં આવે છે. પાયલોટ રાહુલ ચૌહાણ અને ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન સ્યામભાઇ પરમારે 108 મારફતે ખાનગી હોસ્પિટલ થી સલામત રીતે દર્દી ને કચ્છ -ભુજ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સ મા સીફ્ટ કરેલ હતા, એર એમ્બ્યુલન્સ અહમદાબાદ થી આવે છે જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નાઇ થી આવે તો તેમનું એર ફેર વધી જાય તેમજ સમય વધુ લાગે જયારે અમદાવાદ થી આવતી એર એમ્બ્યુલન્સ ખુબ ઝડપથી ગુજરાત મા કોઈ પણ સ્થળે પોહચી શકે છે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર કાર્યવાહી ખૂબ જ ઝડપથી થાય છે. દર્દી ને એર ફેર અને એરપોર્ટ ના નિયમ પ્રમાણે ના ચાર્જ જ ભરવા પડે છે. દર્દી ને હોસ્પિટલ થી એરપોર્ટ અને એરપોર્ટ થી હોસ્પિટલમાં લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સની નિશુલ્ક સેવા આપવામાં આવે છે