મારો અવાજ,
ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.
ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. મીટિંગ બાદ તેમણે કહ્યું- કોરોના હજુ ખતમ નથી થયો પરંતુ ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અમે તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું છે.
ફેસ માસ્ક રિર્ટન્સ:નીતિ આયોગની ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક પહેરવાની ભલામણ, રાહુલને ‘દેશહિત’માં ભારત જોડો યાત્રા રોકવા કહ્યું
દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા,10 હજારનાં મૃત્યુ
ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.
ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. મીટિંગ બાદ તેમણે કહ્યું- કોરોના હજુ ખતમ નથી થયો પરંતુ ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અમે તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું છે.
બૂસ્ટર ડોઝ લેવો જરૂરી
મીટિંગ પછી, નીતિ આયોગમાં ડો. વીકે પોલે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. ગંભીર રોગોથી પીડાતા લોકો અને વૃદ્ધો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યારે માત્ર 27% વસ્તીએ બૂસ્ટર ડોઝ લીધો છે. આ ડોઝ લેવો બધા માટે ફરજિયાત છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે, જેથી કોરોનાના વેરિયન્ટને શોધી શકાય. આ દિવસોમાં ચીન, જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ભારતમાં કેસ ઘટી રહ્યા છે
જ્યાં વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અનુસાર, 20 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 3 હજાર 490 સક્રિય કેસ હતા, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
સ્વાસ્થ્યમંત્રીએ 19 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે ભારતમાં રસીકરણની સંખ્યા 220 કરોડને વટાવી ગઈ છે. આ સંખ્યા તમામ ઉપલબ્ધ કોરોના રસીઓમાં પહેલા, બીજા અને પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન દેશમાં 16 જાન્યુઆરી 2020ના રોજ શરૂ થયું હતું.