મારો અવાજ,
ગુજરાતમાં આવેલા આ મંદિરમાં બોર ઉછાળવાથી તોતડું અને મૂગું માણસ બોલતું થાય છે….
નડિયાદમાં આવેલ મંદિરમાં પોષી પૂનમના દિવસે 2 લાખ ટન બોર ઉછાળાશે, હજારો આટલા ભક્તો ભગતો લાભ લેવા પહોંચ્યા હતા
નડિયાદના સંતરામ મંદિર ખાતે વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ 6 જાન્યુઆરીને પોષી પૂનમે બોર ઉછાળ કરી ઉજવણી કરાય છે.નડિયાદના વેપારીઓએ 2 લાખ બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું જે એક જ દિવસમાં વેચાઇ જાય છે.
સેવાતીર્થ સ્થાન તરીકે જાણીતા બનેલા સંતરામ મંદિરના મુખ્ય ગાદી નડિયાદ ખાતે પોષ સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પ્રસાદીરૂપ બોરની બોલબાલા રહે છે. ભાવિક ભક્તો દ્વારા ગુજરાતના ઠેકઠેકાણેથી નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછામણી કરે છે. પોતાનું બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો એ માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને આ પૂનમે બોરની મંદિરના પ્રાંગણમાં ઉછામણી કરે છે.
પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળે છે
બાળકના વજન જેટલા બોર ઉછાળવામાં આવે છે. અહીં પોષી પૂનમનું ઘણું મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે.
રાજ્યાના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ આવે છે
રાજ્યનાં અનેકવિધ શહેરો અને ગામડાં તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે.
હજારો શ્રદ્ધાળુઓ આવતાં ટ્રાફિકજામનાં દૃશ્યો
સેવાતીર્થ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, મંદિર બહાર જાણે મેળો ભરાયો એમ બોરની રેકડીઓથી લઈને પાથરણાંવાળાએ કબજો કર્યો હતો.
સ્થાનિક વેપારીનું કહેવું છે કે પોષી પૂનમના એક દિવસના વેપાર માટે વેપારીઓએ 20 ટ્રક બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. એક ટ્રક માં 10 હજાર કિલો બોર આવતા હોય છે. 2 લાખ કિલો બોરનું એડવાન્સ બુકિંગ વેપારીઓ દ્વારા કરી દેવાયું છે.