જેલ રોડ ઉપર આવેલ પંચદેવ મહાદેવથી જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અંબાલાલભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ કાસા, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, સાથે દર્શન કરી રેલી સ્વરૂપે રૂપે નીકળી રાજમહેલ રોડ ખાતે આવેલ ગણપતિ મંદિરે દર્શન કર્યા બાદ જંગી જઈને મેદની સાથે તોરણવાળી માતાના દર્શને પહોંચ્યા હતા. ત્યારબાદ ભારત માતાકી જય ના નારા સાથે જિલ્લા કાર્યાલય પર સભા મંડપ એ પહોંચ્યા હતા.
જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે પોતાના ઉદબોદનમાં જણાવ્યું હતું કે આ પદ કોઈ પ્રતિષ્ઠા તેમજ ગર્વ લેવાવાળી બાબત નથી પરંતુ આ એક મોટી જવાબદારી સાથે પાર્ટીને મજબૂત કરવા માટે યથાર્થ પરિશ્રમ કરવાનો સમય છે. હું કોઈપણ ભેદભાવ નાત જાત વિના પાર્ટીને બુથ સમિતિ ને વધુ મજબૂત કરીને માનનીય નરેન્દ્ર ભાઈ મોદીના હાથ મજબૂત કરવા પ્રયત્નો કરીશ.
મારા પિતા રાયસંગભાઈ રાજગોરે જનસંગ વખતથી સમર્પિત ભાવનાથી કામ કરેલ છે. અને મારા ઘડતરમાં સ્વર્ગીય જયંતી કાકા નો ખુબ મોટો યોગદાન છે. અને હું એમના હાથ નીચે તૈયાર થયેલો છું. આગામી સમયમાં જિલ્લા ટિમ ની સાથે રહીને પાર્ટીને વધુ મજબૂત કરવાનું કામ કરીશ.
આ પ્રસંગે તેમને આવકારવા માટે જિલ્લા ભરમાંથી કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, સાંસદ શ્રી શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, પ્રદેશ ઉપપ્રમુખ એમ એસ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયક, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યો પૂર્વ જિલ્લા પ્રમુખો જનસંઘ વખતના પદાધિકારીઓ યુવા મોરચાના કાર્યકર્તાઓ વેપારીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.