માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદીજીની શૈક્ષણિક સંસ્થાઓ ઉપર રાખેલ શ્રધ્ધાને સાકાર કરવા અત્રેની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અંગ્રેજી વિભાગ દ્વારા “India’s Presidency Of G-20: Prospects and Promises” નામનો એક રાષ્ટીય સેમીનાર તા. ૧૭-૦૩-૨૦૨૩ ના રોજ યોજાઈ ગયો. અંગ્રેજી વિભાગના અધ્યક્ષશ્રી ર્ડો. આદેશ પાલના સબળ નેતૂત્વ હેઠળ આ સેમીનારનુ આયોજન થયુ હતુ. આ સેમીનાર અંગ્રેજી વિભાગના પૂર્વ વિધ્યાર્થી સંગઠન દ્વારા સંકલીત કરાયો હતો.
આ સેમીનારમાં એશીયન અમેરીકન હોટેલ ઓર્નસ એસોસિયેશનના પૂર્વ ચેરમેન ર્ડો. મનોહર પી. રામા, સાઉથ એશીયા સ્ટડીઝ સેન્ટર ના પૂર્વ નિયામક ર્ડો. કરોરી સિંહ, નેશનલ કમીશન ફોર વિમેન ના પૂર્વસદસ્ય અને પાટણના જાણિતા સામાજિક કાર્યકર ર્ડો. રાજુલબેન દેસાઈ જેવા મહાનુભાવો એ પ્રેરક વક્તવ્યો આપ્યા હતા ર્ડો. મનોહર પી. રામા એ G-20 વિશેના આ સેમીનાર નો દરેક વ્યક્તિને મદદ કરવા થી ખુશી મળે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ર્ડો. રાજુલબેન દેસાઈ એ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદીજીના વિકસીત ભારતના સપનાઓ અને G-20 ધ્યેયો વિશે જણાવ્યું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કુલપતિ શ્રી ર્ડો.રોહીતકુમાર એન. દેસાઈએ G-20 અંગે આ નિષ્ણાંત રાષ્ટીય સેમીનાર કરવા બદલ અંગ્રેજી વિભાગ તથા વિધ્યાર્થીઓ ને અભીનંદન આપ્યા હતા આ સેમીનારમાં રાષ્ટના અનેક ભાગોમાં થી આવેલ સશોધકોએ તેમના સંશોધન પેપર રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન અને આયોજન માં ર્ડો. તપસ ચક્રવર્તી, ર્ડો. શીતલ ચૌધરી , પ્રો. યોગેશ પરમાર અને અંગેજી અનુસ્નાતક વિભાગના વિધ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી હતી. ડૉ. આદેશ પાલે ભારતની આ અધ્યક્ષતા ને વિશ્વ સમક્ષ ભારત ની આગવી ઓળખ ઊભી કરવાની તક ગણાવી હતી. તેમણે આ સમિટ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના રાષ્ટ્ર વિકાસ ના વિઝન ને બિરદાવ્યૂ હતું. આ સેમિનારમાં ર્ડો.ભૂપેંદ્ર ચૌધરીએ G-20 અને ના પડકારો જેવા કે જેવાકે રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધની વિશ્વના અર્થતંત્ર ઉપર અસર, ચીન તરફથી ઉભા થતા પડકારો, ચીન-અમેરીકા ના સબંધો, કોવિડ પછીના વિશ્વની પરિસ્થિતિ અને તેમાંથી ઉભરવા માટેની પદ્ધતી, પર્યાવરણ ના પ્રશ્નો વિશે વાત કરી. હતી. ર્ડો. સ્ટારપાયલ એન.ઐયરે G-20 ભારતીય લોકોના જીવનમાં ઘણા બદલાવ લાવી શકે છે એવી આશા વ્યકત કરી હતી. સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ ના ડૉ. જસવંત રાઠોડે G-20 ભારતનુ પ્રદાન અને G-20 નો ભારતીય શિક્ષણવ્યવસ્થા ઉપર G-20 કેવી રીતે પ્રભાવ પાડી શકે છે તેની રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે ર્ડો. તપસ ચક્રવતી એ માનનીય કુલપતિશ્રી, કુલસચિવશ્રી, કારોબારી સભ્યો તથા વિવિધ વિભાગના અધ્યાપકોનો આભાર માન્યો. આ ઉપરાંત કાર્યક્રમ ને સુચારુ અને સફળ બનાવવા માટે વિધ્યાર્થીઓ નો આભાર માન્યો.