વડનગર સહિત રાજ્યના 42 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમાં વડનગરના ચીફ ઓફીસર મનોજભાઈ સોલંકી પોરબંદર ચાર્જ સંભાળશે. પોરબંદર સહિત રાજ્યના 42 ચીફ ઓફિસરની અરસપરસ બદલી કરવામાં આવી છે ત્યારે પોરબંદર છાયા પાલિકા ખાતે ફરજ બજાવતા ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની જંબુસર ખાતે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને વડનગર પાલિકાના ચીફ ઓફિસર મનોજ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે..
જેમાં વડનગર ચીફ ઓફિસર તરીકે જીજ્ઞેશ બારોટને ચાર્જ આપવામાં આવ્યો. જેઓ પહેલા ઉંમરગામ નગરપાલિકામાં હતા. તેઓ હવે વડનગર નગરપાલિકાનો ચાર્જ સંભાળતા તેમનું સ્વાગત સન્માન સાલ અને બુકે આપી કરવામાં આવ્યું.