ઉનાળામાં મોટાભાગમાં ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. આજે પાલનપુર ડીસા હાઇવે પર જલારામ મંદિર નજીક એક ટ્રકમાં વીજ લાઈનના તાર અડવાથી અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિક લોકોની મદદથી પાણીની મારો ચલાવી આગ બુજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા.
પાલનપુર હાઇવે પર જલારામ મંદિરની સામેથી પસાર થઈ રહેલી એક ટ્રકના ઉપરના ભાગે વીજ લાઈનના તાર અડકી જતા ટ્રકમાં ભરેલા લાકડાના વોસ અને મોજાળીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકઠા થતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ કાબુ ન આવતા જે બાબતે ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા ટ્રકમાં ભરેલ સરસામાન બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થયુ હતુ.