ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેવડ ખાતે તારીખ 17 એપ્રિલના રોજ કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ‘આઈ.ઓ.ટી. એન્ડ એપ્લીકેશન’ પર વર્કશોપ યોજ્યો હતો. જેમાં નિષ્ણાત તરીકે પ્રો. શ્રી (ડો.) કોમલ બોરીસાગર, જીટીયુ-જીસેટ દ્વારા માઇનર ડિગ્રી કોર્ષ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે એ વિષયમાં ઊંડી સમજણ પૂરી પાડી હતી. આવનારા ભવિષ્યમાં આ કોર્ષ તેમના માટે કેટલો ઉપયોગી સાબિત થશે અને ક્યા કયા વિભાગોમાં તેનો અવકાશ રહેલો છે એ વિષે એમને વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું. તેમને સંસ્થાના હદય એવા ગ્રંથાલયની પણ મુલાકાત લીધી હતી. આ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે તેમના આ અમૂલ્ય યોગદાન માટે પ્રિન્સિપાલ ડો. ચિરાગ વિભાકર અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વડા શ્રી પ્રો.અમૃતા ચિત્રાન્શીએ મોમેન્ટો આપી એમનું અભિવાદન કર્યું હતું.