બનાસકાંઠા પાલનપુર ૭૭મા સ્વતંત્રતા પર્વની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. પાલનપુર શહેરમાં આજ રોજ મજલિસે દઅવતુલ હક્ક મદરસા અને પ્રાથમિક શાળામાં 77માં સ્વતંત્રતા પર્વની હર્ષઉલ્લાસ પૂર્વક ઉજવણી મદરેસા કેમ્પસમાં કરવામાં આવી. જેમાં સંસ્થાના *પ્રમુખશ્રી મોલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો.
દેશ માટે શહીદ થયેલા વિરોની કુરબનીઓ યાદ કરવામાં આવી. મોલાના દ્વારા વિદ્યાર્થીઓને દેશ પ્રત્યે પોતાના કર્તવ્યો અને શહીદ થયેલા એવા મુસ્લિમ સ્વતંત્ર સેનાનીઓની કુરબાની યાદ અપાવી. આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશ ભક્તિ ગીતો અને સ્કાઉટના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ અને પિરામિડ કરતબો બતાવવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અનવરખાન પઠાણ સાહેબના નેતૃત્વ હેઠળ સફળ બનાવવમાં આવ્યું. અને સ્કાઉટના વિદ્યાર્થીઓને પરેડ અને પિરામિડ તૈયાર કરાવવામાં નોનગ્રાન્ટેડ ના આચાર્યશ્રી સોહેલ ભાઈ છુવારા સાહેબ દ્વારા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
દેશભક્તિ ગીત શ્રી ઈકબાલભાઈ મોગલ સાહેબ અને વિવિધ ભાષાઓમાં સ્પીચ તૈયાર કરાવવામાં શ્રી અતીકભાઈ સિન્ધી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શ્રી ઈલિયાસભાઈ શેખ સાહેબ દ્વારા કરવામાં આવ્યું.
એહવાલ સોયબ બેલીમ પાલનપુર