મારો અવાજ ન્યૂઝ……..
2024: લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.ગુજરાતમાં લોકસભાની 26 બેઠક બેઠક છે. 2014 અને 2019ની ચૂંટણીમાં પ્રજાએ ભાજપને ખોબલે ખોબલે મત આપી તમામ 26 બેઠક જીતાડી હતી. ભાજપના તમામ મુરતિયાઓને ગુજરાતી પ્રજા દિલ્લી દરબારમાં છેલ્લી બે ટર્મથી મોકલે છે. પરંતુ ગુજરાત ભાજપના આ સાંસદો એટલા બેદરકાર અને કંજૂસ છે કે તેમને કેન્દ્ર સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ પણ પુરી વાપરી નથી શક્યા. અને આ ખુલાસો ADRના રિપોર્ટમાં થયો છે.રાજકીય પાર્ટીના ઉમેદવારો દિલ્લી દરબારમાં પહોંચવા માટે પ્રજા વચ્ચે જઈને મત માગી રહ્યા છે. ત્યાં એક રિપોર્ટથી ગુજરાતના સાંસદોની કંજૂસાઈનો ખુલાસો થયો છે. મતવિસ્તારના વિકાસ માટે સાંસદોને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટ પણ આપણા સાંસદો પુરી વાપરી શક્યા નથી. તેના કારણે અડધો અડધ ગ્રાઉન્ટ પરત જતી રહી અને વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો.કોઈ પણ સાંસદને પાંચ વર્ષની 25 કરોડની ગ્રાન્ટ મળે છે. આ 25 કરોડ રૂપિયા પોતાના મતવિસ્તારમાં અલગ અલગ વિકાસકામો માટે સાંસદોએ વાપરવાના હોય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે દોઢ વર્ષ માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ યોજના ફીઝ કરી દેવાઈ હતી. જેના કારણે દરેક સાંસદને 25 કરોડના બદલે માત્ર 17 કરોડની જ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ જે 17 કરોડ મળ્યા તેનું પણ સારી રીતે આયોજન કરી ગુજરાતના સાંસદો ન વાપરી શક્યા. માત્ર 49.77 ટકા જ ફંડ આ સાંસદોએ પોતાના વિસ્તારમાં વાપર્યું…જ્યારે બાકીનું તમામ ફંડ સરકારમાં જતું રહ્યું….
જુઓ વિકાસની મોટી વાતો કરતા ગુજરાતી સાંસદોની કંજૂસાઈનો આ અહેવાલ.
ગુજરાતી સાંસદોને મતવિસ્તારની ચિંતા નથી?કેમ પુરુ ફંડ પણ ન વાપરી શક્યા સાંસદો?પુરી ગ્રાન્ટ વાપરવાની કેમ ન લીધી દરકાર?ગ્રાન્ટ વાપરવામાં કેમ કંજૂસ રહ્યા ગુજરાતી સાંસદ?
કોણે કેટલી વાપરી ગ્રાન્ટ?
બેઠક સાંસદ ગ્રાન્ટ વાપરી
જૂનાગઢ રાજેશ ચુડાસમા 7 કરોડ
દાહોદ જશવંતસિંહ ભાભોર 7 કરોડ
ગાંધીનગર અમિત શાહ 9.5 કરોડ
રાજકોટ મોહન કુંડારિયા 5 કરોડ
પાટણ ભરતસિંહ ડાભી 9.5 કરોડ
આણંદ મિતેષ પટેલ 9.5 કરોડ
અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી 9.5 કરોડ
પંચમહાલ રતનસિંહ રાઠોડ 7 કરોડ
ભરૂચના મનસુખ વસાવા 9.5 કરોડ
બારડોલીના પ્રભુ વસાવા 7 કરોડ
ભાવનગર ભારતી શિયાળ 7 કરોડ
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા 7 કરોડ
ખેડા દેવુસિંહ ચૌહાણ 7 કરોડ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ 9.5 કરોડ
નવસારી સી.આર.પાટીલ 9.5 કરોડ
કચ્છ વિનોદ ચાવડા 9.5 કરોડ
સુરત દર્શના જરદોષ 9.5 કરોડ
પોરબંદર રમેશ ધડૂક 9.5 કરોડ
વલસાડ કે.સી.પટેલ 7 કરોડ
મહેસાણા શારદા પટેલ 7 કરોડ
બનાસકાંઠા પરબત પટેલ 9.5 કરોડ
વડોદરા રંજન ભટ્ટ 9.5 કરોડ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 9.5 કરોડ
જામનગર પુનમ માડમ 9.5 કરોડ
છોટાઉદેપુર ગીતા રાઠવા 9.5 કરોડ
અમરેલી નારણ કાછડિયા 9.5 કરોડ
ગુજરાતના 26 સંસદસભ્યો હસ્તક 17 કરોડ લેખે કુલ રૂપિયા 442 કરોડ આવ્યા હતા, પરંતુ 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી. જેમાંથી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામો માટે કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે મળવાપાત્ર ફંડના માત્ર 49.77 ટકા થાય છે. સાંસદોએ જે કામોની ભલામણ કરી હતી તેમાં રેલવે-માર્ગ-બ્રિજ અને પથવે માટેની 5 હજાર 111 યોજનાઓમાં 114.81 કરોડ, પીવાના પાણીની 1992 યોજનાઓ માટે 17.25 કરોડ, શિક્ષણની 1046 યોજનાઓ માટે 295 કરોડ, આરોગ્યની 675 યોજનાઓ માટે 13.15 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સિંચાઈ, એનર્જી, પબ્લિક ફેસેલિટી, સેનિટેશન સ્પોર્ટ્સ કૃષિ, પશુપાલન, હેન્ડલૂમ અને અર્બન ડેવલપમેન્ટ પાછળ વધતી- ઓછી રકમ ફાળવવામાં આવી છે.
ગુજરાતના 26 સંસદસભ્યો હસ્તક 17 કરોડ લેખે 442 કરોડ આવ્યા હતા26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા220 કરોડ ફાળવવામાં આવ્યા જે મળવાપાત્ર ફંડના માત્ર 49.77 ટકા
જો ગુજરાતના સાંસદો થોડા એક્ટિવ રહ્યા હોત અને પોતાના મતવિસ્તાર માટે તમામ રૂપિયા વાપર્યા હોત તો વિસ્તારનો વિકાસ ઉડીને આંખે વળગી શકે તેમ હતો. પરંતુ સાંસદોની અણઆવડત કહો કે પછી આળસને કારણે લોકોના હકના નાણાં હતા તે પણ જતાં રહ્યા. આશા રાખીએ કે હવે 2024માં જે પણ સાંસદ ચૂંટાઈને જશે તેઓ આળસ ખંખેરી લોકો માટે મળતાં તમામ રૂપિયાનું યોગ્ય આયોજન કરી વાપરશે.
કયા કામમાં કેટલા વપરાયા?
રેલવે-માર્ગ-બ્રિજ, પથવે માટેની 5 હજાર 111 યોજનાઓમાં 114.81 કરોડપીવાના પાણીની 1992 યોજનાઓ માટે 17.25 કરોડશિક્ષણની 1046 યોજનાઓ માટે 295 કરોડઆરોગ્યની 675 યોજનાઓ માટે 13.15 કરોડ મંજૂર કરાયા હતા