મારો અવાજ-વડનગર,
વડનગર એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું માદરે વતન. જેનો સમાવેશ વર્ષોથી ઉઝા વિધાનસભામાં થાય છે. ઉઝા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર બનીને આવ્યા તેમની જીતમાં વડનગરની જનતાએ ચાર ચાંદ લગાવ્યા છે. 2022ની વિધાનસભામાં ઉમેદવાર કોઈ પણ હશે પણ જીત ભારતીય જનતા પાર્ટીની જ઼ થશે. કેમ કે વડનગર વડાપ્રધાનનું માદરે વતન છે. વડનગરની પ્રજા ભાજપને ખોબલે ખોબલે વોટ આપ્યા છે અને આ વખતે પણ આપશે.
વડનગરની જનતાની આ વખતે એક માંગ પણ છે કે આવનાર 2022ની વિધાનસભામાં એક મોકો વડનગરને કેમ નહિ ? આવા સવાલો 21 વિધાનસભા વિસ્તારની પ્રજામાં થતા હશે પણ એનો જવાબ આ રહ્યો. વડનગર તાલુકાના 22 ગામ જે ઉઝા વિધાનસભામાં આવે છે. ભાજપને હંમેશા વડનગર તાલુકાની પ્રજાએ જીત અપાવી છે. જેમાં સૌથી મોટો સિંહ ફાળો કેશુભાઈ પટેલનો છે.
લોકોમાં એવો સવાલ થાય કે કેશુભાઈ પટેલ કોણ? તો કેશુભાઈ પટેલ આરઆરએસ અને ભારતીય જનતા પાર્ટીના પાયા લેવલના કાર્યકર્તા છે. પ્રજામાં લોકપ્રિય અને હંમેશા પ્રજા માટે ખડેપગે રહેતા કેશુભાઈ પટેલ. તેમનું મૂળ વતન સુંઢિયા. પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના ત્રણ ટર્મ અને ઇન્ચાર્જ રહેલા. તેમને વિજયી બનાવવામાં પણ તેમનો મોટો હાથ રહેલો..મહેસાણાના પૂર્વ સાંસદ જયશ્રીબેનના પણ તેઓ ઇન્ચાર્જ રહી ચુક્યા છે..
પાટિદાર આંદોલન વખતે કોઈ ટિકિટ લેવા તૈયાર ન હતું ત્યારે કેશુભાઈ પટેલે ટિકિટ લઈ જિલ્લા પંચાયતની સીટ જીતી બતાવી હતી.. સ્વ :ડૉ આશાબેન પટેલની જીતમાં પણ તેમનો મોટો સહકાર હતો. આવા મજબૂત નેતાઓ પણ વડનગર વિસ્તારમાં છે જે પોતે કોઈ દિવસ હાર્યા નથી અને કોઈને હારવા પણ નથી દીધા. વડનગર પ્રજામાં માંગ ઉઠી છે કે એક મોકો વડનગર વિસ્તારને આપો. કેશુભાઈ પટેલ જેવા ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાને વિધાનસભામાં ઉમેદવાર બનાવીને ઉઝા અને વડનગરના વિકાસને આગળ વધારો….