મારો અવાજ ન્યૂઝ..
આ નવા વર્ષની શરૂઆત ભક્તોએ ભગવાન રામની નગરી અયોધ્યામાં ‘જય શ્રી રામ’ના નારા સાથે કરી તો બીજી તરફ દ્વારકાધીશની મંગળા આરતીમાં પણ ભક્તોની ભીડ ઉમટી હતી.લોકોએ ગઇકાલે 2023ને આવજો કહ્યું અને આજથી નવા વર્ષની શરૂઆત કરી.
અયોધ્યા, ઉજ્જૈન, દ્વારકા અને જગન્નાથ પુરી જેવા ધામમાં ભક્તોની ભીડ લાગી હતી.
ચાલો જોઇએ કે 2024ની શુભ શરૂઆત ધાર્મિક સ્થળોએ કેવી રીતે થઇ..
દરેક લોકોએ ગઇકાલે 2023ને આવજો કહ્યું અને આજથી નવા વર્ષની શરૂઆત કરી છે. દેશમાં એક તરફ શિમલા, નૈનીતાલ અને ઋષિકેશ જેવા હિલસ્ટેશન પર લોકોની ભીડ ઉમટી પડી હતી તો બીજી તરફ અયોધ્યા, ઉજ્જૈન, દ્વારકા, કાશી અને જગન્નાથ પુરી જેવા ધામમાં ભક્તોની ભીડ લાગી હતી.
આ નવા વર્ષની શરૂઆત ભક્તોએ ભગવાન રામની નગરી અયોધ્યામાં ‘જય શ્રી રામ’ના નારા સાથે કરી છે, ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં નવશેકા પાણીથી ભગવાન શિવનો જલાભિષેક કરવામાં આવ્યો તો દ્વારકાધીશની મંગળા આરતીમાં ભક્તોની ભીડ ઉમટી હતી. એવામાં ચાલો જોઇએ કે 2024ની શુભ શરૂઆત ધાર્મિક સ્થળોએ કેવી રીતે થઇ હતી..
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર, CM યોગી, STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકીભર્યો મેઇલ મળતા તંત્ર એલર્ટ
વર્ષના પ્રથમ દિવસે મધ્યપ્રદેશના મહાકાલના શહેર ઉજ્જૈનમાં ભસ્મ આરતી માટે લોકોની ભીડ ઉમટી હતી. સોમવારે સવારે 4 વાગે બાબા મહાકાલના દરવાજા ખુલતાની સાથે જ લોકોની કતાર લાગી ગઈ હતી. આજે બાબા મહાકાલને ગરમ પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો.
માયનગરી કહેવાતી મુંબઇમાં પણ લોકોએ નવા વર્ષની શરૂઆત ભક્તિથી કરી હતી. અહીં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન માટે પણ લોકોની કતાર લાગી હતી.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો ગંગા આરતી માટે દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. અહીં લોકોએ ગંગા આરતી બાદ નૌકાવિહાર કરીને નદીના પ્રવાહમાં દીવા કરીને ભગવાનનું સ્મરણ કર્યું હતું. આ દરમિયાન ઘાટ પર ભારે ભીડ જોવા મળી હતી.