મારો અવાજ ન્યૂઝ……..
લોકસભાની આ ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં જીતની હેટ્રીક સાથે તમામ બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનું લક્ષ્યાંક રાખ્યું જેથી ભાજપને કોઈ પણ સમાજ નારાજ થાય તે પોસાય તેમ નથી, જેથી હવે આ મુદ્દો ઉકેલવા અમિત શાહ મેદાનમાં ઉતરે તેવું લાગી રહ્યું છે. હાલ અમિત શાહ ગુજરાત બહાર છે. ગાંધીનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે તેઓ આગામી 19 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જેથી જેવી અમિત શાહનું ગુજરાતમાં એન્ટ્રી થશે તેની સાથે જ આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે, તેવી ચર્ચા ચાલી રહી છે.
બીજી બાજું આ વિવાદ મામલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ નક્કી કરશે, તે જ કાર્યક્રમો આપવાની રણનીતિ પણ ક્ષત્રિય સમાજે બનાવી છે. તેવામાં હવે ક્ષત્રિય સમાજની નારાજગી કેવી રીતે દૂર થશે, તે પ્રશ્ન હજુ પણ ઊભો છે. આ સાથે, ભાજપ કોઈપણ રીતે આ મુદ્દો ઉકેલવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. લોકસભાની ચૂંટણી સમયે જ સર્જાયેલો આ વિવાદ ઉકેલવા ભાજપ પોતાના ક્ષત્રિય આગેવાનોનો દાવ ખેલી ચૂક્યું છે, છતાં પણ આ વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી, ત્યારે શું અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી પછી જ આ મુદ્દો પુરો થશે કે કેમ, તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.