મારો અવાજ,આવનાર 2022 ઊંઝા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માંગણીને લઈને ઠાકોર સમાજને મહત્વ આપવા માટે ઠાકોર સમાજના અગ્રણી ભુણાવ ગામના હર્ષદસિંહ ઠાકોરની માંગ ઉઠી
આવનાર 2022 ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભામાં ઠાકોર સમાજની ટિકિટની માંગણીને લઈને ઠાકોર સમાજના અગ્રણી ઠાકોર હર્ષદસિંહ એ જણાવ્યું હતું કે ઊંઝા વિધાનસભામાં છેલ્લા ઘણા વર્ષોથી ઠાકોર સમાજને કોઈપણ પક્ષ ટીકીટ આપતો નથી ઠાકોર સમાજનો ફક્ત વોટ બેન્ક તરીકે ઉપયોગ થઈ રહ્યો છે તેમજ વારંવાર ટિકિટની માંગણીને લઈને રજૂઆતો કરવા છતાં ટીકીટ અપાતી નથી.ઊંઝા વિધાનસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે.પરંતુ રૂપિયાના જોરે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો આપવાનો વેપાર થઈ રહ્યો છે.ઠાકોર સમાજને મહત્વ આપવામાં આવતું નથી અને ફક્ત વોટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યોં છે.આવનાર વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જો ઠાકોર સમાજને ટીકીટ આપવામાં નહિ આવે તો ઠાકોર સમાજનું એક મહાસંમેલન બોલાવીને તમામ સમાજ આગેવાનો અને સમાજના તમામ વડીલો ભાઈઓ બહેનોને વિશ્વાસમાં લઈને આગળની રણનીતિ ઘડવામાં આવશે અને ઊંઝા વિધાનસભા જે પણ ઠાકોર સમાજમાં ટીકીટ આપશે એ પક્ષને સમર્થન આપવામાં આવશે એવું ઠાકોર હર્ષદસિંહ એ જણાવ્યું હતું તેમજ ઠાકોર સમાજના ભાઈઓ અને વડીલો અને બહેનોને ઠાકોર હર્ષદસિંહ સંદેશો પાઠવતા કહ્યું હતું કે આવો સૌ સાથે મળી ઊંઝા વિધાનસભામાં જેટલી બહુમતી એટલો જ રાજકીય ક્ષેત્રે હક મળવો જોઈએ અને ટૂંક સમયમાં આ બાબતે સામાજિક આગેવાનો અને સામાજિક કાર્યકરો તેમજ તમામ સંગઠનો ભેગા મળીને સમાજને હક માટે મિટિંગ બોલાવી અગત્યના નિર્ણયો કરીને ઠાકોર સમાજનું ઊંઝા વિધાનસભાનું સપનું પૂરું કરીયે એવું પણ જણાવ્યું હતું