જૈન સમાજમાં પરમ પૂજ્ય ગુરુ ભગવંત ને ઘરે પગલા કરાવવાનું મોટું મહત્વ રહેલું છે
આજરોજ ચાણસ્મા ખાતે ચાતુર્માસ અર્થે પધારેલ સાગરજી સમુદાયના બંધુ બેલડી પરિવારના આચાર્યશ્રી હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પોતાના વિશાળ સમુદાય સાથે ચાણસ્માના અંદર રહેતા તમામ જૈનોના ઘરે પગલાં કર્યા હતા.
સાથે સાથે ચાણસ્મામાં પધારેલ સાધ્વીજી ભગવંતો તથા ચાણસ્મા જૈન સંઘના ભાઈઓ-બહેનો આ પ્રસંગે સાથે રહ્યા હતા અને દરેકના ઘરે પૂજ્ય ગુરુ ભગવંતે પગલા કર્યા અને મંગલાચરણ આપીને દરેક ને ધન્ય કર્યા હતા.
સમગ્ર ચાણસ્મા ના તમામ વિસ્તારમા પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબ ની સાથે જૈન સંઘ ના ભાઇઓ બહેનો એ તમામ જૈન પરિવાર ના ઘરે પગલા કર્યા હતા
ચાણસ્મા નગરી આજે ધન્ય બની અમ નગરી માં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સાગર સૂરીશ્વર ના ચરણ રજ સમગ્ર ચાણસ્મા નગરમાં પડી