ભુજ તાલુકાના ભારાપરમાં ઈદગાહમાં ઈદ એ ફિત્ર મનાવવામાં આવી હતી. જેમાં લગભગ 1000 જેટલા ભાઈઓએ નમાઝ અદા કરી હતી. જેમાં મોલાના યુસુફ અકબરી એ તકરીર અને નમાઝ પઢાવી રમઝાન માસ અને ઈદ કેવી રીતે ગુજારવી એ સમજાવી દુઆ કરી હતી.
જેમાં સૈયદ સાદાત,મોલાના બરકત અલી- મેમણ મસ્જિદ
મોલાના હૈદર અલી -જન્નત મસ્જિદ
મોલાના બરકત અલી- સમાં તયબાહ મસ્જિદ ભારાપર
હાજર રહ્યા હતા બધા સમાજના લોકોએ એક સાથે નમાઝ અદા કરી ઈદ મુબારક પાઠવી હતી.
તકરીરમાં કહ્યું અલ્લાહની ઇબાદત કરો, સાચુ કાર્ય કરવું અને અમીર ગરીબને અલ્લાહએ ભેદભાવ વગર એક જ સફ (નમાઝ માં એક સાથે ઉભવું) માં ઉભો કરી નાખ્યું અને વકતનો બાદશાહ હોય કે સહુથી ગરીબ હોય બને ખભેથી ખભો મિલાવીને ઊભા રહે છે એક સાથે
અહેવાલ.
ચાકી અબ્દુલ્લા ભારાપર
રમેશ મહેશ્વરી
કચ્છ..