એન્કર-ધાનેરાની મિશ્ર શાળા નંબર-૨માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી.
મારો અવાજ,
ધાનેરાની મિશ્ર શાળા નંબર-૨માં પંદરમી ઓગસ્ટ 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી શાળાના આચાર્યશ્રી યોગેશભાઈ ઠાકોરની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અને હર ઘર તિરંગા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ રહ્યો છે ત્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી અને આઝાદીકા અમૃત મહોત્સવના દિવસે ધાનેરા મિશ્ર શાળા નં – ૨ના આચાર્યશ્રી યોગેશભાઈ ઠાકોર તેમજ શાળાના તમામ શિક્ષકો અને બાળકો સાથે મળીને વંદેમાતરમના નારા સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.ત્યારે બાદ આ શાળામાંથી અભ્યાસ કરીને ગયેલ અને હાલ ડીસાની નવજીવન બી.એડ કોલેજમા બી.એડનો અભ્યાસ કરતી અને ઈનટરશીપ માટે આવેલી ચાર તાલીમાર્થી બહેનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ શાળામા દેશભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના બાળકો દ્વારા યોજવામાં આવ્યા હતા.આ રાષ્ટ્રીય કાર્યક્રમમા ધાનેરા મિશ્ર શાળા નબર-૨ના આચાર્યશ્રી શિક્ષકો,વાલીગણ તથા બાળકોએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરી હતી.શાળાના સ્ટાફ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.અંતમાં શાળાના આચાર્યશ્રી યોગેશભાઈ ઠાકોર તેમજ મિહીરભાઈ પંડ્યા દ્વારા આભારવિધિ કરવામાં આવ્યો હતો.
સુલતાન પઠાણ ધાનેરા