મારો અવાજ,
મુખ્યમંત્રી મારવા નથી ગયા પણ કડક કાર્યવાહી તો કરી શકે ને?
સત્તાપક્ષના સવાલના જવાબમાં કેટલાક સવાલો…
૧. રાજસ્થાનની સરકારને કોણ રોકતું હતું યોગ્ય વળતર આપતા?
૨. મૃત બાળકના પિતા ઉપર લાઠીઓ પડતી અટકાવતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કોણે રોકેલા?
૩. જે પક્ષ દલિત હિતેચ્છુ હોવાનો દાવો કરે છે એ એમના કેટલા ચુંટાયેલા પ્રતનિધિઓ સંકલન સમિતિની મીટીંગમાં દલિત સમાજ માટે પ્રશ્નો પૂછે છે?
૪. રાજસ્થાનની ઘટનાને લઈને ગેલમાં આવી ગયેલા ભાજપિયાઓએ પહેલા ગુજરાત સરકારને પૂછવું જોઈએ કે ઉના, શાપર, કોટડાસાંગાણી જેવી ઘટનાઓમાં આરોપીઓને જામીન મળી જાય એમાં તમારી સરકાર કેમ અપીલમાં નથી જતી??
૫. શાપર કેસમાં સુપ્રીમ કોર્ટે કેમ ઉધડો લીધો અને ટકોર કરી કે આવા કેસમાં સરકારે અપીલમાં આવવાનું હોય, ફરિયાદીએ નહીં? કેટલા કેસમાં ગુજરાત સરકાર અપીલમાં ગઈ એ પણ જાહેર કરે.
૬. જે સરકાર દલિત હિતેચ્છુ અને દલિતોના હિતોનું રક્ષણ કરતી હોવાનો દાવો કરે છે એ સરકાર જાહેર કરે કે વિજિલન્સ કમિટીની કેટલી બેઠકો મળી અને એમાં શું ચર્ચા કરી તથા શું પગલાં ભર્યા એ જાહેર કરતા કોણ રોકે છે?
૭. હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રીએ પોતાના ‘પાપ ધોવો પ્રોગ્રામ’ (pdp) અંતર્ગત સદભાવના યાત્રા કાઢી તો અસ્પૃશ્યતાની નાબુદી માટે યાત્રા કાઢતા એમને, ગુજરાત ભાજપ સરકારને તથા રાજસ્થાન કોંગ્રેસ સરકારને કોણ રોકે છે?
૮. ગુજરાત ભાજપના ગેલમાં આવેલા મિત્રો પણ પોતાના પક્ષને પૂછે કે ભાનુભાઇ વણકરના આત્મવિલોપન પ્રસંગે લેખિતમાં આપેલા વચનોનું પાલન ક્યારે કરશે?
૯. રાજસ્થાનમાં જ્યાં બનાવ બન્યો ત્યાં ધારાસભ્ય ભાજપના છે. ગુજરાતના મોરચાના મિત્રો એમને પૂછે કે એ ભાઈએ શું કર્યું આમાં?
દલિતો માટે કામ કરવાથી અન્ય સમાજ નારાજ થવાનો હોય તો પછી દલિતો માર ખાઈને વોટ શું કામ કરે? આ નારાજગી દુર કરવા માટે સમાજમાં મોટા પાયે જાગૃતિ ફેલાવીને ચેતનાનો સંચાર કરવાની જરૂર છે જેમાં રાજકીય ઈચ્છાશક્તિની અત્યંત આવશ્યકતા છે.
કીસીકો તો યે કામ કરના પડેગા ના?? તમે તો સ્કુલો અને નોકરીઓમાં પણ ખાનગીકરણના પ્રોત્સાહન આપીને સરકારી માળખાએ બધાને ભેગા બેસતા કરેલા એની ઉપર બુલડોઝર
ફેરવી રહ્યા છો.
– સુબોધ કુમુદ